સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોની સૂરતને ભેટ ધરી હતી. આ પ્રકલ્પોમાં રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સજ્જ નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ, કોસાડ ખાતે બી.આર.ટી.એસ. બસનો વર્કશોપ, સરથાણા-વાલક ખાતે રૂા.૧૮૩૮ લાખના ખર્ચે વરાછાના સબ ઝોન-B વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, શાળાના ભવનનું એકસ્પાન્સન, વાંચનાલય, જળ વિતરણ માટે વોટર સપ્લાયનું કામ જેવા અનેકવિધ કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી જેના પગલે આ સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કોગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે, એક રૂપિયો મોકલુ ત્યારે પ્રજા સુધી ૧૫ પૈસા પહોચે છે. વચેટીયાઓ લઈ જતા હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી એક રૂપિયો મોકલે છે ત્યારે સવા રૂપિયાનું કામ થાય છે તે જ આ સરકારની ફળશ્રૃતિ છે.
રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો ૬ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. સરકાર નિર્ણાયક છે સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો લઈને સરકાર આગળ વધી રહી છે.
સંવેદનશીલ, પારદર્શી નિર્ણયો લઈ પૈસા વગર કામ થતુ નથી તેવી લોકો માનસિકતાને તોડવી છે તેવો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.
સરકારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને કાયદા-વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૫૦-૫૦ ટકા જનશકિત થઈ રહી છે તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ માટેના તમામ નિર્ણયો સરકાર કરી રહી છે. કુદકેની ભુસંકે વિકાસ આગળ વધે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોઈ પણ સ્થળે અકસ્માત થાય તો તત્કાલ ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપીને જીવ બચે તે માટેનો સંવેદશીલ નિર્ણય સરકારે કર્યો છે.
રાજયમાં કંમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છતા, ટ્રાફીક, આરોગ્ય, વિજળી, પાણી સહિતની લોકોની સમસ્યા હોય તો એક જ જગ્યાએ તેનો કંટ્રોલ થાય તેવી સુવિધા સુરત મહાનગરપાલિકાએ સાકાર કરી છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ હોય તે માટેના સુવિધાયુકત બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં છ બસ સ્ટેન્ડ શરૂ કર્યા છે. અન્ય ૯ નવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ જિલ્લા કેન્દ્રના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બસ સ્ટેશનો હોય તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રીવોલ્યુવેશન લાવી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. અંતરીયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે માટે મીની બસોનો વધારો કરી સાંકળી લેવામાં આવશે.
સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને ખૂબ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.
આ વેળાએ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પ્રાથમિક સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે. પાણીની સમસ્યાને દેશવટો આપવા માટે રાજય સરકારે જળસંચય અભિયાન ઉપાડયું છે. રાજય સરકારે જ્ઞાતિ-જાતિથી પર રહીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે.
આ પ્રસંગે રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા તેમજ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
