સુરતમાં થયાં સૌથી વધુ સુસાઇડ

ગુજરાતની ડાયમન્ડ નગરી સુરત શહેર અને જિલ્લો જાણે કે સુસાઇડ સિટી બની ગયું હોય એમ છેલ્લાં બે વર્ષમાં સુરત શહેર અને જિલ્લામાં ૧૯૯૭ નાગરિકોએ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતમાં બે વર્ષમાં કુલ ૧૨,૭૫૮ લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે ૨૨૧૧ નાગરિકોનાં ખૂન થયાં છે. કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગઈ કાલે પૂછેલા લેખિત પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારે વિગતો જાહેર કરી હતી કે છેલ્લાં બે વર્ષમાં ૧૨,૭૫૮ નાગરિકોએ આત્મહત્યા કરી હતી. ૨૨૧૧ નાગરિકોનાં ખૂન થયાં છે, જ્યારે ૨૨૧૫ નાગરિકોનાં ખૂનની કોશિશ થઈ છે. ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૯૯૭ નાગરિકોએ, અમદાવાદમાં ૧૭૯૧, રાજકોટમાં ૧૬૦૧, જામનગરમાં ૮૬૦, જૂનાગઢમાં ૭૭૩ અને ગાંધીનગર જિલ્લામાં ૫૧૩ નાગરિકોએ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લાં બે વર્ષમાં સુરત જિલ્લામાં ૨૬૭ નાગરિકોનાં ખૂન થયાં છે. આ ઉપરાંત અમદાવાદમાં ૨૪૧, રાજકોટમાં ૧૬૨, કચ્છમાં ૧૦૯, ભાવનગરમાં ૯૩, ભરૂચમાં ૯૦, બનાસકાંઠામાં ૭૮, દાહોદમાં ૭૭, સુરેન્દ્રનગરમાં ૭૬, વડોદરામાં ૭૧, ખેડામાં ૭૦ નાગરિકોનાં ખૂન થયાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
