પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે લાંબા ગાળાના ઉકેલ માટે કામ થઈ રહ્યું છે
પેટ્રોલ-ડીઝલના ભાવ દસ દિવસથી સતત વધી રહ્યા છે. રોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. બળતણના ભાવને અંકુશમાં રાખવા સાર્વત્રિક માગ થઈ છે. ઑઈલ કંપનીએ બળતણ પરની એક્સાઈઝ ડ્યૂટી વિશે સમીક્ષા કરવા સૂચન કર્યું હતું.
બળતણના ભાવ વિશે લાંબા ગાળાના ઉકેલની દિશામાં સરકાર કામ કરી રહી છે, એમ આઈટી અને કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેમણે નિવેદન કર્યું હતું. બળતણના ભાવ દર પખવાડિયે જાહેર થતા હતા. આ પદ્ધતિમાં ફેરફાર કરીને ગયા જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર થાય છે.
દસ દિવસમાં પેટ્રોલ લિટરે રૂ. ૨.૫૪ તથા ડીઝલ રૂ. ૨.૪૧ મોંઘું થયું છે. બળતણના ભાવમાં વારંવાર વધારો એ ચિંતાનો વિષય છે. સાથોસાથ ચર્ચા પણ માગી લે છે. સરકારે આ દિશામાં બેઠક હાથ ધરી છે.
ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવ ઊંચા જતા અત્રે અસર થઈ છે તે માટે તાત્કાલિક ચર્ચા હાથ ધરાઈ છે. એડ-હોક પગલાં લેવાને બદલે લાંબાગાળાના ઉકેલની દિશામાં પગલાં માટે સરકાર ઉત્સુક છે, એમ તેમણે કહ્યું હતું અને એ દિશામાં પ્રક્રિયા ચાલુ છે. પ્રધાને વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો.
એક્સાઈઝ ડ્યૂટીના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા ટૅક્સનો ઉપયોગ શિક્ષણ, હૉસ્પિટલ, ગામડાંમાં વીજળી, હાઈવે બાંધકામ સહિતના વિકાસના કામમાં વપરાય છે. બળતણ પર ટૅક્સ એ વિકાસના પ્રશ્ર્નો સાથે સંલગ્ન છે. હવે લાંબાગાળાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.
ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઑઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાતરફી હતા ત્યારે સરકારને લિટરે રૂ. ૧૫ની બચત થઈ હતી, પરંતુ સરકારે બળતણ પર વધારાનો રૂ. ૧૦નો બોજો નાખી દીધો હતો. જોકે, આ વિશે પ્રસાદે કોમેન્ટ કરવા ઈન્કાર કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
