CIA ALERT
May 24, 20181min12100

પાકીસ્તાનના રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જિર્ણોદ્ધાર માટે બે કરોડ ફાળવાયા

Share On :
પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર માટે ૨ કરોડ રૂપિયા જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરમાં પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે તેને અનુરૂપ બનાવવા માટે ફાળવવામાં આવી છે. પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક જ કૃષ્ણ મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં ૬ થી ૭ લોકો હોય છે.
પાકીસ્તાનના અગ્રણી ડોન અખબારના જણાવ્યા પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે સરકારે પંજાબ એસેમ્બ્લીના સભ્યોની માગણી પછી ૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંકમાં જ તેમાં કામ શરૂ થઈ જશે. તેના માટે ટીમ નિરિક્ષણ પણ કરી ચૂકી છે. કોઈ રીતે કામ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. જે જગ્યાએ નવું નિર્માણ થશે, તે બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પુરું થશે કે લોકોનું આગમન થવા લાગશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :