પાકિઝા’ સહિતની ૧૦૦ ફિલ્મમાં અભિનય કરનાર ગીતા કપૂરે વૃદ્ધાશ્રમમાં લીધા અંતિમ શ્ર્વાસ
ફિલ્મ ‘પાકીઝા’માં અભિનય કરનાર અભિનેત્રી ગીતા કપૂરનું શનિવારે ૫૭ વર્ષની ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું હતું. આ અંગેની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આપી હતી.
ગયા વર્ષે અભિનેત્રીનો પુત્ર રાજા તેને ગોરેગાંવમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં બ્લડપ્રેશરની સારવાર માટે લઇ ગયો હતો. એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગીતાને છોડીને હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો. રાજા કૉરિયોગ્રાફર છે, જ્યારે ગીતાની પુત્રી પૂજા ઍર હોસ્ટેસ છે.
‘પાકિઝા’ અને ‘રઝિયા સુલતાન’ સહિત ગીતાએ ૧૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.
ગીતા કપૂરના નિધન અંગે દુ:ખ વ્યકત કરતા અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે ‘ગીતા કપૂરના પાર્થિવ શરીર પાસે ઊભો છું. જેને તેના બાળકો એક વર્ષ પહેલા એસઆરવી હૉસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. આજે સવારે તેમણે વૃદ્ધાશ્રમમાં અંતિમશ્ર્વાસ લીધા. અમે તેની સંભાળ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે પુત્ર અને પુત્રીની રાહમાં દિવસેને દિવસે કમજોર થતી ગઇ’.
પંડિતે જણાવ્યું હતું કે ‘વૃદ્ધાશ્રમમાં સવારે નવ વાગ્યેે તેનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું, જ્યાં તે છેલ્લા એક વર્ષથી હતી. તે કમજોર થતી જતી હતી અને પ્રવાહી પદાર્થ ખાઇને જ જીવી રહી હતી.
એક દિવસ પુત્ર રાજા તેને લેવા માટે જરૂર આવશે અને તેને વૃદ્ધાશ્રમમાંથી લઇ જશે એ જ આશાએ તે જીવતી હતી, એમ પંડિતે જણાવ્યું હતું.
પંડિત અને ફિલ્મમેકર રમેશ તોરાણીએ જ ગીતાનું હૉસ્પિટલનું બિલ ભર્યું હતું અને તેની સંભાળ પણ લીધી હતી.
પંડિતના જણાવ્યા અનુસાર તેના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં બે દિવસ માટે રાખવામાં આવશે, જેથી કરીને તેને લઇ જઇ અંતિમ સંસ્કાર કરે.
જો તેઓ માતાના શબને લેવા નહીં આવે તો સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે, એમ પંડિતે જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
