CIA ALERT
May 22, 20181min12030

તિરુપતિ મંદિરના સોનાનાં દાગીના જાહેર પ્રદર્શનમાં મૂકાશે

Share On :

જો અગમ શાસ્ત્ર પરવાનગી આપે તો જેની સુરક્ષાની શંકા સેવાઈ રહી છે તેવા તમામ સુવર્ણ અલંકારો જાહેર પ્રદર્શનમાં મૂકવા મંદિરની સંચાલક સંસ્થા તૈયાર હોવાની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલકુમાર સિંઘલે કરેલી જાહેરાતને પગલે હાલ ટીટીડી અને ભૂતપૂર્વ મુખ્ય ધર્માધિકારી એવી રામન્ના દીક્ષિતુલુ વચ્ચે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે.

છેલ્ લાં બાવીસ વર્ષ દરમિયાન મૂલ્યવાન રત્નો અને હીરા-મોતી માણેક સહિત અલંકારો અને દાગીનાઓ

ગુમ થયા હોવાને મામલે દીક્ષિતુલુએ સીબીઆઈ તપાસ યોજવાની માગણી કરી હોવા છતાં ઍક્ઝિક્યુટિવ ઑફિસર (ઈઓ)એ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

પ્રસારમાધ્યમને અઆપેલી મુલાકાતમાં સિંઘલે કહ્યું હતું કે જો અગમ શાસ્ત્ર મંદિરના અલંકારોનું જાહેર પ્રદશ૪ન કરવાની પરવાનગી ન આપતું હોય તો ટીટીડીએ થ્રીડી ફૉર્મેટમાં તેનું ડિજીટલાઈઝેશન કરી તેની તસવીરો જાહેર જનતા માયે મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.

આ મારો અંગત અભિપ્રાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારણા કરવી જોઈએ.

ટીટીડીના અલંકારોના રજિસ્ટરમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ગુમ થયેલું મૂલ્યવાન રત્ન જીનિવામાં યોજવામાં આવેલા લિલામમાં જોવા મળ્યું હોવાના થોેડો દિવસ અગાઉ દીક્ષિતુલુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા સિંઘલે કહ્યું હતું કે ટીટીડીના કર્મચારીઓ દરેક વસ્તુની સુરક્ષા માટે સખત તકેદારી રાખે છે અને આ પ્રકારના આક્ષેપો ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :