CIA ALERT
May 29, 20181min14500

ચીની સૈનિકોની જોહુકમીને પગલે ભારતીય યાત્રાળુઓને માનસરોવરમાં ડૂબકી ન લગાવી શક્યા

Share On :

જો કે સુષ્મા સ્વરાજે કહ્યું કે માનસરોવરમાં ડૂબકી લગાવવા માટે નિર્ધારિત સ્થળ પર જવું જોઇએ

ચીનાઓએ માનસરોવરમાં પવિત્ર સ્નાન ન કરવા દીધું હોવાની ફરિયાદ કેટલાક શ્રદ્ધાળુઓએ કરી હતી.

ગયા વર્ષે દોકલામ વિવાદ બાદ બીજિંગે નાથુ-લા પાસ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રા બંધ કરી હતી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે એ રસ્તો ફરી ખોલાયો હોવાની જાહેરાત કર્યાના વીસ દિવસ બાદ ઉપરોક્ત ફરિયાદ મળી હતી.

ચાલુ માસે જ શાંઘાઇ કોર્પ ઓર્ગેનાઇઝેશનની વિદેશ પ્રધાનોની બેઠકમાં બાદ સુષમાએ જણાવ્યું હતું કે ‘મેં ચીનના વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકોથી લોકો સુધીના સંબંધો ન સુધરે ત્યાર સુધી સરકાર સાથે સરકારના સંબંધો ન સુધરી શકે. જ્યારે નાથુ-લા પાસનો રસ્તો બંધ કરાયો ત્યારે એ લોકો માટે આઘાતજનક બાબત હતી. મને જણાવતા આનંદ થાય છે કે હવે યાત્રા માટે એ રસ્તો ખોલી દેવાયો છે. સુષમાએ વધુમાં ઉમેર્યું હતું કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે અમે લિપુલેખ પાસ રસ્તે ૬૦ યાત્રાળુઓના ૧૮ બેચ અને ૫૦ યાત્રીઓના દસ બેચ નાથુ-લા પાસવાળા રસ્તે મોકલીશું. આ વર્ષે અંદાજે ૧૫૮૦ શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :