ગીર જંગલ 15 જૂન 2018થી 4 માસ માટે બંધ રહેશે
એશિયાઈ સિંહોના આ ધરતી ઉપરના એક માત્ર અને અંતિમનિવાસ સ્થાન ગીર જંગલના દ્વાર આગામી તા 15 જૂનથી 4 માસ માટે સહેલાણીઓ માટે બંધ રહેશે. આગામી ચોમાસાની ઋતુને લક્ષમાં લઈને, રાજ્યના વનવિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમ્યાન જંગલના કાચા રસ્તાઓ ઉપર વાહન ચાલી શકતા નથી. વળી સિંહ જેવા હિંસક પ્રાણી માટે આ સમયગાળો એ તેમનો મેટિંગ પિરિયડ ગણાય છે. જેમાં તેને ખલેલ ન પહોંચે તે માટે પણ જંગલ બંધ કરાય છે. આમ ગીરના વનરાજોનું વેકેશન 4 માસનું તા.15 જૂનથી શરૂ થઈ રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક સહેલાણીઓ ગેરકાયદેસર જંગલમાં પ્રવેશીને વન્ય જીવોના રહેનસહેન પર અટકચાળો કરતા હોય છે આ બાબત પર હવેથી કડકાઇપૂર્વક પગલાં ભરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
