CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 57 of 59 - CIA Live

April 1, 2019
mohan_kundaria.jpg
1min5780
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
March 30, 2019
gondal.jpg
1min14810
નગરપાલિકા કચેરી સામે જ યુવાનોએ ઝેરી પદાર્થ પી લેતા સારવારમાં: બે યુવાનોને રાજકોટ ખસેડાયા

ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલા બોટલો મોઢે માંડી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો આ વેળા બંદોબસ્ત રહેલી પોલીસે પાંચેય યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમાર ને વધુ અસર થતા રાજકોટ ખસેડાયા હતા.
બાવાબારી શેરી માં વિવદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા શીલ મારવાનો આદેશ કરાયો હોય પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી શીલ મરાયું હતું પણ તબાણી પરિવાર દ્વારા શીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કાર્યનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાવા બારી શેરીમાં અત્યંત સાંકડી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ, એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબાર ની હત્યા થઇ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ, હિન્દૂ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્રની નીતિની આકરી ટીકા કરી આગામી સમય માં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.’ બીજી તરફ આ અંગે તંત્રને લેખિત માં જાણ કરાઇ હોવા છતાં આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ કે અન્ય જવાબદારો હાજર રહ્યા ન હતા. આ યુવાનોની મહામૂલી જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી અંગે શહેરભરમાં રોષ ફેલાવા પામ્યો છે, જો પોલીસ હાજર ન હોત તો અઘટિત બનવા પામી હોત ત્યારે આત્મવિલોપન વેળા હાજર ન રહી બેદરકારી દાખવનારો સામે પણ કડક રાહે પગલાં ભરવા સંગઠનો દ્વારા માંગ કરાઈ છે.
March 30, 2019
gir_kesar.jpg
1min15740

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે

કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
March 29, 2019
congress.jpg
1min3960
અમદાવાદ, તા.28: કોંગ્રેસે ગુજરાત લોકસભા માટે વધુ સાત નામો જાહેર કર્યા છે. વર્તમાન ચાર ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં કુલ 13 નામો જાહેર થયા છે હજુ 13 નામો જાહેર થવા બાકી છે. રાજકોટ જેવી પ્રતિષ્ઠિત બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, પોરબંદર માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જૂનાગઢ માટે ઉનાના અનુભવી ધારાસભ્ય પૂંજાભાઇ વંશની પસંદગી કરી છે.રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી લોકસભાની 26 બેઠકો પૈકી આજે બીજા 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક બાદ પાટણ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બારડોલી અને વલસાડ તેમજ પંચમહાલ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની’ પસંદગીને લઇને કોંગ્રેસમાં કોકડું ગુચવાયેલું છે. અગાઉ કોંગ્રેસે 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા.’
આજરોજ જાહેર કરાયેલા 7 લોકસભા બેઠકના ઉમેદવારોમાંથી 4 બેઠક પર કોંગ્રેસ તેમના વર્તમાન ધારાસભ્યો ઉપર ભરોસો મુકીને તેમને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં જુનાગઢથી પુંજાભાઇ વંશ, રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયા અને વલસાડથી’ જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.’ આ ઉપરાંત પાટણથી જગદીશ ઠાકોર, પંચમહાલથી વી.કે. ખાંટ અને બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરમાં રંજીત રાઠવા, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કર્યુ હતું. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે એકપણ મહિલાના નામની ઘોષણા કરી નથી.
દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ ંકે, કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. આજે ગુજરાતની સાત બેઠકના ઉમેદવાર સાથે કુલ 13 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે અને બાકીની બેઠકો એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે.’ મહત્વનું છે કે, આજથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઇ છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
March 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4240

ભાંગફોડના બીજા રાઉન્ડમાં કોંગ્રેસના સાત મોટા માથાઓ ભાજપની નજરમાં , વર્તમાન પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા વિપક્ષ પાસે 24 સભ્યો હોવા જરૂરી

રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શહેરમાં ભાજપ દ્વારા આયોજિત વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને બાગી જૂથના 12 સભ્યોએ કેસરિયો પહેરતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે અને ભાજપના સદસ્યોનું સંખ્યા બળ 2માંથી વધીને 14 થઈ ગયું છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે ત્યારે ખૂટતા 10 સભ્યોને ખેંચવા માટે શામ – દામ – દંડ – ભેદ તમામ પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.
12 બાગી સભ્યો ભાજપમાં જોડાતા તેઓની વિરુદ્ધ પક્ષાંતરધારાનો ગાળિયો વધુ મજબૂત થઈ ચૂક્યો છે. ગઈકાલનાં સંમેલનમાં કેટલાક મહિલા સભ્યોને બદલે તેમના પતિઓએ કેસરિયો ખેસ પહેરતાં ક્યાંકને ક્યાંક પક્ષાંતરધારાની છટકબારી શોધવાની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. બાગીજૂથ દ્વારા કોંગ્રેસમાં ભાંગફોડનો બીજો તખ્તો ઘડાઈ રહ્યો છે. બીજા રાઉન્ડમાં કોંગ્રેસના કેટલાક મોટા માથાઓ ભાજપમાં જોડાવાના છે જેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઉપસ્થિતિમાં ખાસ સમારોહનું આયોજન પણ કરાઈ રહ્યું છે. બીજા રાઉન્ડમાં સાતેક સભ્યોનો સંપર્ક થઈ રહ્યો છે. જો એ સભ્યો કેસરિયો ધારણ કરશે તો જિલ્લા પંચાયતમાં બીજુ મોટું ભંગાણ પડશે. ગઈકાલે પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ જણાવ્યું હતું કે, કુલ 36 સભ્યોમાંથી ભાજપનું સંખ્યાબળ અત્યારે 14 થયું છે. નજીકના ભવિષ્યમાં તે 25 આસપાસ હશે.
દરમિયાન આ મુદ્દે પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ ખાટરિયા જણાવે છે કે, પ્રમુખ – ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 36 પૈકી ભાજપ પાસે ઓછામાં ઓછા 24 સભ્યો હોવા જરૂરી છે. આ ઉપરાંત હાલ ચૂંટણી આચારસંહિતના માહોલ છે ત્યારે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી કોઈ પણ દરખાસ્ત મૂકી શકાય નહીં. બાગી સભ્યો વિરુદ્ધ તમામ પુરાવા હવે નામોનિર્દેશ વિભાગને આપી દેવામાં આવ્યાં છે. આગામી તા.29ના રોજ અંતિમ નિર્ણય આવી જશે. ખાટરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પંચાયતધારા મુજબ એક વર્ષ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સામે એક વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન મૂકી શકે. વર્તમાન પ્રમુખને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી.
March 27, 2019
ghan_lakhani.jpg
1min40290

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.

 

March 27, 2019
static_checking.jpg
1min21050

રાજ્યમાં ગુરુવાર, તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જારી થશે. સુરતનું ચૂંટણી તંત્ર જણાવે છે કે તા.28મી માર્ચથી જ સુરત જિલ્લાના વિસ્તારોમાં કુલ 48 સ્ટેટીક સ્કવોર્ડ તેમની કામગીરી શરૂ કરી દેશે. સ્ટેટીક સ્ક્વોડનું કામ રોકડની હેરફેર પર નજર રાખવાનું છે. ચૂંટણીમાં દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરવા માટે સ્ટેટીક સ્ક્વોડને કામ સોંપવામાં આવે છે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સુરત શહેર જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરતના ઇતિહાસમાં સ્ટેટીક સ્ક્વોર્ડને ગાડીઓમાંથી રોકડ કરતા દારુ વધારે મળ્યો છે

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

રાજકીય પાર્ટી કે ઉમેદવાર સાથે કોઇ કનેકશન નહીં ધરાવતા લોકો રૂ.10 લાખ સુધીની રોકડ રકમની હેરફેર કરી શકશે

March 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5120
ઝંઝાવાતી પવન વા’તા કાચી કેરીઓ ખરી પડી
જૂનાગઢ, તા.26: સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ગત રાતથી એકા એક ઝંઝાવાતી પવન ફૂંકાતા, ધૂળની ડમરીઓ ચડી હતી. ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યાની બાગાયત કારોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે સાથે ગરમીમાં આંશીક રાહત અનુભવાય છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ આકરા તાપને કારણે તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યાં ગત રાતથી એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી પવન ફૂકાવાનું શરૂ થયું હતું. રાતભર ભારે પવનને કારણે આંબાના ઝાડ ઉપર લટકતી કાચી કેરીઓ ખરી પડી હતી.
હવામાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મહતમ તાપમાન 39.9 ડિગ્રી ન્યુનતમ 27.5 ડિગ્રી, અને પવનની ઝડપ 8.8 કિ.મી. નોંધાય છે પણ ગત રાત્રે પવનની ઝડપ 15 થી 20 કિ.મી. હોવાનું બાગાયતકારો જણાવી રહ્યા છે.
March 25, 2019
1min4660

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા કપાયા, ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ

-વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર 
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પાંચમી જાહેર થઇ હતી. જેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આઠ બેઠકમાંથી ૬ બેઠકના ઉમેદવારના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટાભાગની સૌરાષ્ટ્ર-કચ્છના સીટીંગ સાંસદોને જીવતદાન મળ્યું છે અને ફરીથી ટીકીટ આપવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગરમાં આ વખતે ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ અપાઈ છે જયારે દેવજી ફતેપરાની ટીકીટ કપાઈ છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢ આ બેઠક લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર થયા છે જેમાં ધ્રાંગધ્રા માટે પરસોતમ સાબરીયા, જામનગર ગ્રામ્ય માટે રાઘવજી પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટીકીટ અપાઈ છે.
લોકસભા ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારોના નામ
રાજકોટ- મોહન કુંડારીયા
જામનગર- પુનમ માડમ
ભાવનગર- ભારતીબેન શિયાળ
સુરેન્દ્રનગર- ડો.મહેન્દ્ર મુંજપરા
કચ્છ- વિનોદ ચાવડા
અમરેલી- નારણ કાછડીયા
March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6100

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.