CIA ALERT
23. April 2024
May 26, 20191min2840

વેનેઝુએલાની જેલમાં રમખાણ: 29 કેદીનાં મોત

Share On :
Print Friendly, PDF & Email

વેનેઝુએલાની એક જેેલમાં શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં 29 કેદીનાં મોત થયાં હતાં અને 19 પોલીસ ઘાયલ થયા હતા.

અકારીગુઆ ટાઉનના પોલીસ સ્ટેશનની જેલના કેદીઓએ મોટે પાયે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એમને પોલીસ સ્પેશિયલ ફોર્સિસે રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે 29 કેદીનાં મોત થયાં હતાં

કેદીઓએ પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને ત્રણ ગ્રેનેડ ફેંક્યા હતા. આ દરમિયાન 19 પોલીસ ઘાયલ થયા હતા.

કેદીઓના હક માટે લડતી એનજીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે કેદીઓએ કેટલાક વિઝિટર્સનું અપહરણ કર્યું હતું અને પોલીસે જ્યારે એને છોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જેલમાં હિંસા ફાટી નીકળી હતી.

અપહરણ કરાયેલ વ્યક્તિઓનું શું થયું, એ જાણવા નહોતું મળ્યું. આવા અટક કેન્દ્રોમાં અવારનવાર હિંસા થતી જ રહે છે. અહીં કેદીને વધુમાં વધુ 48 કલાક સુધી જ રાખવાનો હોય છે. આ જેલની ક્ષમતા ફકત 60 કેદીની છે, પણ અહીં 500 કેદીને રાખવામાં આવ્યાં હતાં. દેશમાં આવી 8000 કેદીને રાખી શકાય એટલી ક્ષમતાવાળી 500 જેલ છે, પણ એમાં 55,000 કેદીને પૂરવામાં આવ્યાં છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :