CIA ALERT
29. March 2024
August 14, 20191min4650

Related Articles



અભિનંદન ને વીર ચક્ર

Share On :
Print Friendly, PDF & Email

દર વર્ષે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાહસ, શૌર્ય માટે જુદાજુદા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આવી જ એક જાહેરાતના ભાગરૂપે કેન્દ્ર સરકારે ભારતના નેશનલ હીરો બનેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી છે. પુલવામા હુમલા બાદ પીઓકેમાં ત્રાસવાદી છાવણીઓ પર ભારતની એરસ્ટ્રાઇક્સ વખતે  વિંગ કમાન્ડર અભિનંદને એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અને તેમનું પણ વિમાન આ ઘર્ષણમાં તૂટી પડ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં યુદ્ધ કૈદી તરીકે ઝડપાઇ ગય હતા. એ સમયે તેમણે એક ભારતીય સૈનિકની શાન વધારતા શૌર્યને પ્રદર્શિત કર્યું હતું.

એર સ્ટ્રાઈક બાદની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને કેદ કરી લીધા હતા, પણ ભારતના કુટનીતિ પ્રયાસો બાદ પાકિસ્તાને તેમને છોડવા માટે વિવશ થવું પડ્યું હતું.

અભિનંદન સિવાય સ્ક્વૉડ્રન લીડર મિન્તી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. મિન્તને આ પુરસ્કાર બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :