વાવાઝોડું ફંટાઈને હવે તેની દિશા બદલી રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો પસાર કર્યા બાદ તે ઉત્તર અરબ સાગરમાં કરાચીના દરિયા કિનારામાં પહોંચીને નબળું પડી શકે છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે ‘વાયુ’ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે.
સેટેલાઇટ ઇમેજીસ કહે છે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે
હવામાન અંગે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સ્કાયમેટની વેબસાઇટ પર કરવામાં આવેલા ફોરકાસ્ટ અનુસાર તા.13 અને તા.14 જુન દરમિયાન વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જુનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત વેરાવળ અને ઓખામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હવામાન એજન્સી સ્કાયમેટ ની આગાહી ગુજરાતના રહેવાસીઓ ઉપરાંત રાજ્ય સરકાર માટે રાહતજનક પુરવાર થઇ રહી છે.
વૈશ્વિક રીતે સ્વીકૃત સ્કાયમેટ વેબ ફોરકાસ્ટ કહે છે ગુજરાતની ધરતીને નહીં સ્પર્શે વાયુ
સ્કાયમેટ ફોરકાસ્ટ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય પરંતુ તે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે વાવાઝોડું પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠા નજીકથી પસાર થશે. આ પહેલા ‘વાયુ’ વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.
સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944