ભાવનગર : એક કરોડની ખંડણી વસૂલનાર 4ની ધરપકડ
ભાવનગર શહેરમાં ચકચાર મચાવનાર જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું અપહરણ કરી રૂપિયા એક કરોડની ખંડણી વસૂલવાના બનાવ અંગે આખરે ૨૫ દિવસ બાદ ફરિયાદ નોંધાવાતા પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અપહરણ કરી ખંડણી ઉઘરાવનારા ચાર શખ્ાસો પૈકી ત્રણને ઝડપી લીધા હતા.
શહેરના વઘાવાડી રોડ પર આવેલા જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશ ચણુંલાલ જોધવાણીનું ગત મહિને ચાર શખ્ાસોએ અપહરણ કરી રૂ.૫૦ લાખ રોકડા તથા રૂ.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી કુલ એક કરોડની ખંડણી વસૂલ કરી હતી. અપહરણ બાદ ગભરાઈ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દરમ્યાન સોની વેપારી ઉપર હુમલાની ઘટના બાદ આ કિસ્સો બહાર આવતા ભાવનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ ગુનામાં રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા, શક્તિસિંહ ચુડાસમા, તથા કલ્પેશ કોતર તેમજ એક અજાણ્યા શખ્ાસની સંડોવણી ખુલતા પોલીસે રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા તથા શક્તિસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now