CIA ALERT
24. April 2024
April 4, 20191min12300

Related Articles



‘તારક મહેતા….’ માંથી દયાભાભી OUT

Share On :
Print Friendly, PDF & Email
ભારતીય ટીવી પરદાની સૌથી લોકપ્રિય કોમેડી સિરીયલ પૈકિની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે એક આંચકારૂપ સમાચાર છે. ફાઇનલ રિપોર્ટ અનુસાર આ શ્રેણીમાં હવે ફરી કયારેય પણ દિશા વાંકાણી દયાભાભીના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે નહીં. દિશા વાંકાણીએ ગોકુલધામ સોસાયટીમાં વાપસી કરવાનો ઇન્કાર કરી દીધો છે. તારક મહેતા શોના પ્રોડયૂસર આસિત મોદીએ સ્વીકારી લીધું છે કે અમારે નવા દયાભાભી શોધવા રહ્યા. શોથી કોઇ મોટું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે નવા ચહેરા સાથે આગળ વધશે, કારણ કે દયાબેન વિના અમારું ફેમિલી અઘૂરું છે.
આસિત મોદીએ એમ પણ કહ્યંy કે આપણા દેશમાં કામકાજી મહિલાઓ પ્રેગનેન્ટ થતી રહે છે, મેટરનિટી બ્રેક લે છે અને ફરી કામ પર વાપસી કરે છે. અમે દિશાને સમય આપ્યો હતો. અમે તેની ઘણી રાહ પણ જોઇ પણ હવે નવા દયાભાભી શોધવા જ રહ્યા. અમે નવા દયા ભાભી શોધવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે દિશા વાંકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં નથી. નવે. 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :