ગુજરાતમાં સ્વાઈન ફલૂની વધુ 2ના મોત સાથે મૃત્યુ આંક 100ને પાર
ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now