CIA ALERT
20. April 2024
June 5, 20191min3790

Related Articles



સુરતમાં કસ્ટોડિયલ ડેથ : હવે પછી આરોપીની ધરપકડ વગર લોકઅપમાં રાખવા નહીં સૂચના

Share On :
Print Friendly, PDF & Email

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીનાં મોત બાદ પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. કસ્ટોડિયલ ડેથનાં તમામ આઠ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેઓ હજુ સુધી પોલીસ પકડમાં આવી શક્યા નથી. તો આટલા દિવસો વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં લોકો આ મામલે પોલીસ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તો કસ્ટોડિયલ ડેથ બાદ સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

કસ્ટોડિયલ ડેથ મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, કોઈપણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની ધરપકડ વગર લોકઅપમાં નહીં રાખી શકવામાં આવે અને જો આરોપીને ધરપકડ વગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તો તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનમાં એલઆઈબીના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ નોકરી કરશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીઆઈ દ્વારા નોકરી વહેંચણી કરવામાં આવશે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઓમપ્રકાશ પાંડેના મોત બાદ પીઆઈ ખીલેરી સહિત તેના સ્ટાફના આઠ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :