સુરતના બે મિત્રો, બે વર્ષ ભારતીય સરહદો પર, બનશે એક વિશ્વનું અનોખું મિટ્ટી આર્ટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
દિલ ચાહતા હૈ કે પછી ઝિંદગીના મિલેગી દૌબારા જેવી બોલીવુડની ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં જીવવા જઇ રહ્યા છે સુરતના બે મિત્રો.
આ બે મિત્રોમાં એકનું નામ છે સંજય રામાણી અને બીજા મિત્ર છે સટાબોર્તા નન્દી. બન્ને વ્યવસાયે આર્કિટેક્ટ છે. બન્ને દેખાવે ઓલિયા ટાઇપ એટલે કે વાળ દાઢી અને બહુ ઓછા બૂટ-શૂટમાં જોવા મળે એવા. બન્ને ઇન્ટેન્સ નેચર લવર અને એટલે જ તેમણે એક જીવતી વારતાં જીવવાનો અવસર ઉભો કર્યો. આવતીકાલ તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા પર્વથી આ બન્ને સુરતી મિત્રો એક જીવતી વારતાં જીવવા નીકળી પડશે.
વાત જાણે એમ છે સંજય રામાણી અને શતાબોર્તા નંદી બન્ને સુરતથી નીકળીને ભારતની તમામે તમામ સરહદો પછી ભલે એ સમુદ્રી કિનારે હોય, કોઇ દેશને અડીને આવેલી હોય કે પછી એ સરહદ હિમાલયમાં હોય, ઇનશોર્ટ ભારતની બોર્ડરની પરીક્રમા કરશે, આ પરીક્રમા કરતા તેમને બે વર્ષ જેટલો સમય નીકળી જશે. જીપ્સી જીપમાં તેઓ ભારતની સરહદોની અંદાજે 25 હજાર કિ.મી.ની પરીક્રમા કરશે.
શું કામ ભારતની પરીક્રમા કરશે બે સુરતી મિત્રો
સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારતીય સરહદોના સીમાડાઓ એટલા માટે ખૂંદવા જઇ રહ્યા છે કેમકે તેમણે ભારતમાં પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવો છે. તેમની આ યાત્રાનો હેતુ ભારતની સરહદોની માટી માંથી 300 રનિંગ મીટર લાંબા કેન્વાસ પર એક સોઇલ આર્ટ તૈયાર કરીને વિશ્વને સમર્પિત કરવાનો તેમનો પ્લાન છે. આ સોઇલ આર્ટ સંજય કે શતાબોર્તા નહીં દોરે પણ એ દોરશે ભારતીય સરહદો પર રહેતા ત્યાના લોકલ બાળકો, આ સોઇલ આર્ટમાં કલર હશે પણ એ કલર ભારતના સિમાડાઓની માટીના જ હશે. એવું લાગે છે કે વિશ્વનું આ સૌથી મોટું સોઇલ આર્ટને પણ આકાર આપવા માટે સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારત પરીક્રમણ પર નીકળી રહ્યા છે.
આ નકશા પરથી ખબર પડે છે કે સંજય રામાણી અને શતાબોર્તા નંદીના ભારત પરીક્રમણનો 25 હજાર રનિંગ કિ.મી. લાંબો રૂટ
15મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સરહદોની પરીક્રમા શરૂ કરશે
સંજય રામાણી અને શતાબોર્તા નંદી પર્યાવરણ જનજાગૃતિ માટે અને ભારતની પ્રત્યેક સરહદો પરની માટીમાંથી એક 300 મીટર લાંબુ વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા દિવસે સુરતથી પ્રસ્થાન કરશે. તેઓ જીપ્સી ગાડી તેમની સાથે લઇ જઇ રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ સોશ્યલ મિડીયાથી બિલકુલ કટઓફ થઇ જશે. ફક્ત તેમના મોબાઇલ ફોન કાર્યરત રહશે.
Brief in English
A national art journey – a ‘Parikrama’, that will bring awareness towards climate via soil art painting, in the youth of India, and also to benefit numerous under-privileged children in our country.
Two men carrying an empty canvas scroll of 300 metres are taking a 2 year long parikrama of India, travelling 25000 kms through various places.
Wherever they go, the children of those places will paint this canvas with soil extracted from their local land.
This mega soil-artwork will spread global awareness on Climate Conservation through Indian Art and Culture.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now