CIA ALERT
20. April 2024
October 8, 20192min8120

Related Articles



દશેરાની પરંપરા જાળવતા સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે શસ્ત્ર પૂજન કર્યું

Share On :
Print Friendly, PDF & Email

સુરતવાસીઓની રક્ષા કાજે અને કાયદો વ્યવસ્થા જાળવવા સુરત શહેર પોલીસ સુસજ્જ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે શસ્ત્રનું પૂજન કરવામાં આવે. પ્રાચિન કાળમાં શસ્ત્રો જ માનવીની રક્ષા કરતા, આજના કાળમાં હવે ઔજારો શસ્ત્રનું કામ કરે છે. હવે એવો ટ્રેન્ડ છે કે અર્થોપાર્જનમાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સની પૂજા વિજયા દશમી એટલે કે આજના દશેરના પર્વે થાય છે. તાજેતરમાં જ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટએ આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાને જાળવતા શસ્ત્ર પૂજન કર્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેર પોલીસના ઉપક્રમે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ દરેક પ્રકારના શસ્ત્રોને પૂજા સ્થળે ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. સુરત શહેરના લોકોની રક્ષા માટેના આ શસ્ત્રોનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધીથી કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે સુરત પોલીસ બેડા પાસે ઉપલબ્ધ દરેક પ્રકારની પિસ્તોલ, બંદૂક, મશીનગન્સ વગેરે પ્રકારના શસ્ત્રોને તિલક કરીને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેરમાં જુદા જુદા પદો પર ફરજ બજાવી રહેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

ચાપલધરા વિભાગ રાજપૂત સમાજે પોતાની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું

સુરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના જાણિતા રાજપૂત સમાજ, ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના ઉપક્રમે આજરોજ ગુજરાતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં રાજપૂત સમાજની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન વિધિ તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી પર્વે થતી શસ્ત્ર પૂજન વિધિનું અનેરુ મહત્વ છે. આ પરંપરા ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ હરહંમેશ જાળવીને વિધિ વિધાન અનુસાર શસ્ત્ર પૂજન કરે છે.

શહેરના જાણિતા પત્રકાર નિલકંઠ શાસ્ત્રી વર્ષોથી તેમના શસ્ત્રનું પૂજન કરે છે

સુરત શહેરના સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ગાર્ડિયનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહેલા સુરતના જાણિતા પત્રકાર શ્રી નિલકંઠ શાસ્ત્રી પોતે લાઇસન્સ વેપન ધરાવે છે. તેઓ પણ વર્ષોથી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરે છે. આજે વિજયા દશમીના પર્વે તેમણે પોતાના લાઇસન્સ વેપન તેમજ જે કલમ (બોલપેન) થી તેઓ ફરજ બજાવે છે તેનું પૂજન કર્યું હતું. નિલકંઠ શાસ્ત્રીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી જાળવી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :