Surat: ટોળાશાહી સામે નીકળેલી રેલીમાં માછીવાડ ખાતે બબાલ, પોલીસે ટીયરગેસ છોડ્યા
સુરતમાં આજે વર્સેટાઇલ માઇનોરિટી ફોરમ દ્વારા મોબ લિંચીંગની દેશભરમાં બની રહેલી ઘટનાઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી ખ્વાજાદાના દરગાહથી નીકળીને કાદરશાની નાળ થઇને મક્કાઇ પુલ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ કોઇ અગમ્ય કારણોસર બબાલ શરૂ થઇ હતી.
ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ રેલી પર કોઇકે પત્થર ફેંક્યો હતો અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. વણઓળખાયેલા લોકોના ટોળાએ પત્થરમારો કરવા સાથે આસપાસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ટોળાએ ત્યાંથી પસાર થઇ રહેલી બસ પર પણ પત્થરમારો કર્યો હતો.
તોફાને ચઢેલા તોફાનીઓને ખદેડવા માટે પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.
થોડી મિનિટોમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને રેલીને વિખેરી નાંખી હતી.
પોલીસે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લઇને નાનપુરાથી મજૂરાગેટ તરફનો વાહનવ્યવહાર શરૂ કરાવી દીધો હતો. ઘટના સ્થળેથી પોલીસે રેલી વિખેરી નાંખવા સાથે લોકોના ટોળાને પણ વિખેરી નાંખ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now