પાયલટોની હડતાલ : બ્રિટિશ એરવેઝની 1500 ફ્લાઇટ રદ
બ્રિટિશ એરેવઝે પાયલટોની હડતાલને કારણે પોતાની 1500થી વધારે ફ્લાઇટો રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ને સોમવારે અને તા.10મી સપ્ટેમ્બર 2019ને મંગળવારે પગાર વિવાદને લઇને પાયલટ હડતાલ પર રહેશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાલ માનવામાં આવી રહી છે.
હડતાલથી લગભગ 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે. આનાથી લગભગ 80 મિલિયન પાઉન્ડ (રૂ. 704 કરોડ )નું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનિસબર્ગની તમામ ફ્લાઇટો પ્રભાવિત થઇ છે. કંપનીઓએ યાત્રીઓને જણાવ્યું છે કે, જો લોકોની ફ્લાઇટ રદ થઇ છે તે એરપોર્ટ જાય નહીં.
પગાર અને ભથ્થામાં ઘટાડાના વિવાદ બાદ બ્રિટિશ એરલાઇનના પાયલટ એસોસિએશન (બીએએલપીએ)એ 23 ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 9, 10 અને 27 સ્પટેમ્બરે પાયલટ હડતાલ પર રહેશે. ત્યાંજ રશિયાના વિદેશ મંત્રાલયે હડતાલ અને ફ્લાઇટ રદ હોવા અંગે પોતાના નાગરિકોને સચેત કર્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now