Sri Lanka : ભારત, ચીન માટે ફ્રી વિઝા ઓન અરાઇવલ
દેશના પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે બુધવારે શ્રીલંકાએ ભારત અને ચીનનો ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવામાં સમાવેશ કર્યો હતો. ઇસ્ટર સંડેના બૉમ્બધડાકા બાદ બંને દેશોને આ સુવિધા બંધ કરવામાં આવી હતી.
ઇસ્ટર સંડેના સ્યુસાઇડ બૉમ્બધડાકામાં ૨૫૮ લોકોના મૃત્યુ થયા બાદ શ્રીલંકાએ ૩૯ દેશના નાગરિકોને આપવામાં આવતી ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા બંધ કરી હતી.
૨૧ એપ્રિલના રોજ નવ સ્યુસાઇડ બૉમ્બરે ત્રણ ચર્ચ અને લક્ઝરી હોટેલ પર હુમલો કર્યો હતો. આઇએસઆઇએસ આતંકવાદી જૂથે આ હુમલાનો દાવો કર્યો હતો, પરંતુ સરકારે સ્થાનિક નેશનલ થાવિદ જમાત (એનટીજે) પર ઇસ્ટર સંડેના બૉમ્બધડાકાનો આરોપ લગાવ્યો હતો.
પહેલી ઑગસ્ટથી શ્રીલંકા ૩૯ દેશના નાગરિકોને આપવામાં આવતા ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા ફરીથી ચાલુ કરશે. જોકે આ ૩૯ દેશની યાદીમાં ભારત અને ચીનનો સમાવેશ નહોતો થતો, પરંતુ શ્રીલંકા ભારત અને ચીનના નાગરિકોને પણ આ સુવિધા આપશે, એમ શ્રીલંકાએ જણાવ્યું હતું.
શ્રીલંકામાં ફ્રી વિઝા ઓન અરાઇવલ સેવા સુવિધા થાઇલેન્ડ, યુરોપિયન યુનિયન, યુકે, યુએસ, જાપાન, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, કંબોડિયાને મળે છે.
ત્રાસવાદી હુમલા બાદ શ્રીલંકાના પર્યટન ઉદ્યોગ મંદ થઇ ગયો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ આ વર્ષના એપ્રિલમાં પ્રવાસીઓની સંખ્યામાં ૭.૫ ટકાનો ઘટાડો થયો હતો. પર્યટકોને વધારવા માટે શ્રીલંકાની સરકાર દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં ૭,૪૦,૬૦૦ વિદેશી પર્યટકો શ્રીલંકાની મુલાકાતે આવ્યા હતા. ગયા વર્ષે ૪.૫ લાખ ભારતીયોએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now