CIA ALERT
19. April 2024
August 1, 20191min3700

Related Articles



આજથી શ્રાવણ માસ : સોમનાથના દર્શનના સમયમાં ફેરફાર

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સતત એક માસ સુધી દેવાધિદેવ મહાદેવની વિશેષ આરાધના અને પૂજા થશે. શ્રાવણ માસને લઈ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસ સહિતના સાત દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર પરિસર સવારે ચાર વાગ્યે ખૂલશે અને રાત્રે ૧૧ વાગ્યે બંધ કરવામાં આવશે. જ્યારે આ સિવાયના દિવસોમાં ભગવાન ભોળાનાથના દર્શન માટે મંદિર પરિસર સવારે ૫.૩૦ કલાકે ખૂલશે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે ખાસ ગણાતો મહિનો એટલે શ્રાવણ માસ. ત્યારે ૧લી ઑગસ્ટ, ૨૦૧૯ના ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થાય છે. આથી શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :