CIA ALERT
20. April 2024
January 17, 20201min9280

Related Articles



સાઇબાબાના જન્મસ્થળ અને કર્મસ્થળ વચ્ચે મોટો વિવાદ : શિરડીમાં રવિવારથી બેમુદતી બંધનું એલાન

Share On :
Print Friendly, PDF & Email

ઉધ્ધવ ઠાકરેએ સાઇબાબા જન્મસ્થળ પાથરીને વિકસાવવા રૂ.100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા મામલો બિચક્યો

વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.

આગામી વીકએન્ડમાં શિરડી જનારા લોકોએ છેલ્લી ઘડીની સ્થિતિ જાણીને નીકળવું હિતાવહ છે.

ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.

હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શિરડીમાં રવિવારથી બંધનું એલાન

શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?

આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :