વધુ 9 બેંકો બંધ થઇ જવાની વાત બિલકુલ જુઠ્ઠાણું હોવાનું જણાવતી રિઝર્વ બેંક
PMC બેંક પર નિયંત્રણો બાદ સોશ્યલ મિડીયા પર ઉઠેલી અફવાઓ, લોકોમાં દહેશત
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
દેશની સર્વોચ્ચ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બપોરે કરેલા એક ટ્વીટમાં જણાવ્યું છે કે સોશ્યલ મિડીયામાં વહેતા થયેલા કેટલીક બેંકો બંધ થઇ જવા અંગેના મેસેજીસ બિલકુલ જુઠ્ઠા અને પાયા વિહોણા છે. લોકોએ ગેરમાર્ગે દોરાવું નહીં.
રિઝર્વ બેંકે તાત્કાલિક રદીયો આપવો પડ્યો
તા.24મી સપ્ટેમ્બર 2019થી મહારાષ્ટ્રની ચોથા નંબરની સૌથી મોટી કો ઓપરેટિવ બેંક કે જે 139 બ્રાન્ચ ધરાવે છે એ પીએમસી બેંક પર લદાયેલા નિયંત્રણો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે એવા મેસેજ સોશ્યલ મિડીયામાં ફરતા થયા હતા કે વધુ 9 જેટલી નેશનલાઇઝ્ડ બેંકો બંધ થઇ જવાની છે. લોકોમાં ગભરાટ મચાવવાના ઇરાદે આ પ્રકારના મેસેજ ફરતા કરવામાં આવ્યા હોવાનું જણાય આવતા રિઝર્વ બેંકએ ટ્વીટર હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી હતી કે કેટલીક બેંકો બંધ થવા અંગેના સંદેશા સાવ ખોટા છે.
દેશના ફાઇનાન્સ સેક્રેટરીએ પણ આ રીતે ટ્વીટ કરવી પડી
9 જેટલી બેંકો ઉઠી જવા અંગે સોશ્યલ મિડીયામાં ફરતો થયેલો સંદેશો એવા મતલબનો હતો કે જે બેંકોને કેન્દ્ર સરકારે ક્યાં તો મર્જ કરી દીધી છે અથવા તો મર્જિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આમ છતાં આ મેસેજને કારણે ભારતમાં સામાન્ય લોકોમાં મોટી ગેરસમજ ફેલાય જવા પામી હતી.
સોશ્યલ મિડીયામાં આ જુઠ્ઠો મેસેજ ફરી રહ્યો છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now