સુરતમાં ભગવાન રામ પહેલા મિની વાવાઝોડાએ રાવણને પાડી દીધો
સુરતીઓ મિની વાવાઝોડાને ખમી શક્યા, રાવણ ખમી શક્યો નહીં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિજયા દશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે કરી હતી. અનેક વૃક્ષો વરસાદે પાડી દીધા, અનેક છાપરાં ઉડાડ્યા. લોકો સમજે વિચારે એ પહેલા રહેણાંકોના બારી બારણા અથડાવા માંડ્યા હતા. માહોલ તો એવો રચાયો કે જાણે પૃથ્વીલોકના સૌથી મોટા રાક્ષસને ખરેખર વધ થવાનો હોય. અને હા એવું થયું પણ ખરું. સુરતમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આજે લિંબાયત વિસ્તારમાં નિલગીરી સર્કલ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાવણને ફટાકડાથી ભરીને, આતશબાજીઓથી શણગારીને 60 ફૂટ ઉંચાઇ જેટલો તાજોમાજો કરી દેવાયો હતો. દહન પહેલા રાવણની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામાં ફરતી કરી દેવામાં આવી હતી. પરંતુ, એ પછી કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. અને સુરતમાં વિજયાદશમીની સમી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું. આ મિની વાવાઝોડાથી લોકો બચવા માટે પ્રયાસો કરી રહ્યા હતા, પણ જબરદસ્ત હાઇટ ધરાવતો રાવણ મિની વાવાઝોડાને ખમી શક્યો નહીં અને જમીનદોસ્ત થઇને પડ્યો હતો.
રામાયણના રામ બનેલા પાત્ર રાવણ પર તીર છોડે એ પહેલા મિની વાવાઝોડાએ રાવણને જમીનદોસ્ત કરી દીધો હતો.
સુરતના પત્રકાર તેજસ મોદીએ મિની વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા રાવણનો જોવા જેવો વિડીયો શેર કર્યો છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now