સિદ્ધિ વિનાયક મંદિરની રથયાત્રાના રૂટ પર 1 લાખ સાડી પથરાશે
મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આ વર્ષે સૌથી મોટી 17 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવશે જેમાં તાલુકાના 72 ગામોના લોકો આ રથયાત્રામાં ભાગ લેશે. પ્રથમ વખત જ આ રથયાત્રાના રૂટ પર ભગવાનના રથ માટે એક લાખ સાડી પાથરવામાં આવશે. જે ગામ લોકોના ઘરે ઘરેથી એકત્ર કરાઈ છે. તેમજ ભક્તોએ માતાજીને દસ હજાર સાડી અર્પણ કરી હતી. રથયાત્રાની સાથે સાથે માતાજી પણ નગરચર્યા માટે નીકળવાના હોવાથી રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં રોડ પર સાડી પાથરવામાં આવશે.
રથયાત્રાના દિવસે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ માટે ભંડારો પણ યોજાશે. તેમજ પ્રસાદ તરીકે 1200 કિલો જાંબુ- અને મગનું વિતરણ કરાશે. જ્યારે આ રથયાત્રામાં 50થી વધુ રથ જોડાશે તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત સાધુ-સંતો ભાગ લેશે. અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિરેથી નીકળનારી રથયાત્રામાં પાંચ લાખથી વધુ ધજા-પતાકા તેમ જ ડીજે જોડાશે.
સાથે સાથે આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવશે. આ નૃત્ય માટે ડાંગ વિસ્તારના આશરે 150 લોકો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવશે. તેમ જ 25થી વધુ ભજનમંડળીઓ આ રથયાત્રામાં જોડાશે. જેમાં જે ભજનમંડળી સારું પ્રદર્શન કરશે તેને ઇનામ આપવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન રૂટ પર પાથરવામાં આવેલી સાડીઓ રથયાત્રાની પૂર્ણાહુતિ પછી મંદિરમાં દર્શને આવનારા નવદંપતીને દાન કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now