અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા પૂર્વે જળયાત્રા તા.17મી જૂને
શહેરમાં ભગવાન જગનાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને સોમવારે તા.17મી જૂને મંદિરથી ગજરાજોની સવારી સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજા માટે અને મંદિરમાં 108 કળશ જળ ભરી લાવી ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. યાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શહેર મેયર બીજલ પટેલ તેમ જ સાધુ સંતો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.
ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા.4થી જુલાઈને અષાઢી બીજનાં દિવસે નીકળવાની હોઈ તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્ત્વ છે. વર્ષમાં એકવાર બહેન સુભદ્રાજીના ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.
આ મહોત્સવ પૂર્વેનો અંતિ મહત્ત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ જેઢ સુદ પૂનમને તા. 17મી જૂનને સોમવારે જગનાથ મંદિરથી હજારો સાધુ સંતો ઉપરાંત ગજરાજો અને બેન્ડ બાજા અને ડીજેના નાદ સોથે શોભાયાત્રા મંદિરથી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા અને નદીએથી 108 કળશ જળ ભરી મંદિરે લાવી ભગવાન જગનાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે.
જલયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શહેર મેયર બિજલ પટેલ સહિત શહેરના મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં હર્ષઉલ્લાસ સાથે જોડાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now