CIA ALERT
25. April 2024
May 14, 20191min3410

Related Articles



પ્રિયંકા : ઉજ્જૈનનાં કર્યા દર્શન

Share On :
Print Friendly, PDF & Email

ચૂંટણી માહોલમાં સોફટ હિન્દુત્વની પોતાની વ્યૂહરચના પર કોંગ્રેસ સતત આગળ વધી રહી છે. પક્ષના અધ્યક્ષ રાહુલનાં ‘ટેમ્પલ રન’ બાદ હવે તેમનાં બહેન પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંદિરોમાં દર્શનની શરૂઆત કરી દીધી છે.

પ્રિયંકા ગાંધીએ મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર (મહાકાલ) મંદિરમાં પૂર્ણ વિધિ સાથે પૂજાથી અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. આ દરમ્યાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ, પ્રિયંકાના મહાકાલ દર્શન મામલે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધ્યું હતું.

શિવરાજે મંદિર દર્શનના બહાને પ્રિયંકાની સાથે કમલનાથ પર પણ નિશાન સાધ્યું હતું. શિવરાજે કહ્યું કે, ‘િપ્રયંકાજી મહાકાલ મંદિરમાં દર્શન માટે જઇ રહ્યો છે, તો ત્યાં તેમનાં ભાઇ અને મુખ્યમંત્રી (કમલનાથ)ને પૂછો કે, તેમણે 10 દિવસની અંદર બધા કિસાનોની ઋણ માફીની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવું ન થયું તો મુખ્યમંત્રીને અમે હટાવી નાખશું.’ ખેડૂતોની લોન હજુ માફ નથી થઇ. મુખ્યમંત્રી તમારા ભાઇને ગુમરાહ કરે છે અને બીજી તરફ તમારા ભાઇ ખોટું બોલી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :