CIA ALERT
20. April 2024
March 8, 20191min3840

Related Articles



PM મોદી કાશીમાં, ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ

Share On :
Print Friendly, PDF & Email

વડાપ્રધાન મોદી ફરી એક વાર તેમના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે, તેમણે કાશી વિશ્વનાથ કૉરિડોરની આધારશીલા સ્થાપી

કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજે મારું સૌભાગ્ય છે કે જે સપનું વર્ષોથી જોયું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામમાં આજે ભોળાનાથની મુક્તિનું પર્વ છે. ચારે તરફ દીવાલોથી ઘેરાયેલા ભોલેબાબાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમને વિશાળતાનો અનુભવ થશે. હું આ કૉરિડોર બનાવવા માટે જે લોકોએ તેમની જમીન આપી છે તેમનો પણ આભાર માનું છું. સાથે જ યોગી આદિત્યનાથની સરકારનો પણ આભાર માનું છું. જેમણે ઘણા ઓછા સમયમાં આ કાર્યને પૂર્ણ કર્યું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :