CIA ALERT
18. April 2024
February 6, 20201min3570

રામમંદિર બાંધવા ટ્રસ્ટની રચના

Share On :
Print Friendly, PDF & Email

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સરકારે ત્રણ માસની અંદર ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. રામ જન્મભૂમિની તરફેણમાં ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ચુકાદો આવ્યો હતો. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં ટ્રસ્ટ સ્થાપવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એ

પ્રમાણે ૫ ફેબ્રુઆરીએ ટ્રસ્ટની જાહેરાત કરી હતી.૬૭.૭૦૩ એકર જમીન ટ્રસ્ટને આપવા કેબિનેટે નિર્ણય લીધો હતો. સ્વાયત્ત ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરશે.

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ૫, ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. સરકાર તેની પ્રતિબદ્ધતામાં આગળ વધ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી રહેશે જેમાં એક દલિતનો સમાવેશ કરાશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારે મસ્જિદ બાંધવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા સહમતી દર્શાવી છે. પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, અયોધ્યાના ધન્નીપુર ગામમા લખનઊ હાઈવે નજીક જમીન છે. નવા ટ્રસ્ટની જાહેરાત કરનાર વડા પ્રધાન મોદીનો તેમણે આભાર માન્યો હતો. બધાને સાથે મળીને એક પરિવારની જેમ આ કાર્યમાં કામ કરવા વડા પ્રધાને અપીલ કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :