CIA ALERT
19. April 2024
January 20, 20201min3230

Related Articles



આજે વિદ્યાર્થીઓ સાથે PM મોદીની પરીક્ષા પે ચર્ચા

Share On :
Print Friendly, PDF & Email

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :