પદયાત્રા કરો: ભાજપી સાંસદોને મોદીની સલાહ
બે ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી 31 ઑક્ટોબર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી દરમિયાન 150 કિ.મી. લાંબી પદયાત્રા ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં કરવા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, એવી માહિતી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ મંગળવારે આપી હતી.
ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધતા મોદીએ રાજયસભામના સભ્યોને કહ્યું હતું કે, જયાં ભાજપનું સંગઠન નબળું છે તે મત વિસ્તારની મુલાકાત લો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ધ્યાનમાં લઈને 150 કિ.મી. લાંબી પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. પદયાત્રાનો સમયનો નિર્ણય પક્ષે લેવાનો છે. પદયાત્રાની વિગત જણાવતાં સંસદીય બાબતોના રાજયકક્ષાના પ્રધાન અર્જુન મેઘવાલે કહ્યું હતું કે, પદયાત્રામાં ગામડાંઓ પર વધુ ધ્યાન આપવા વડા પ્રધાને સલાહ આપી છે.
તમામ મત વિસ્તારમાં 150 ગ્રુપ ઊભા કરવા સાંસદોને જણાવ્યું છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારની કામગીરી અને અપેક્ષા વિશે જનતાનો અભિપ્રાય મેળવવાની સાથે તેઓ પાસે ફીડબેક મેળવવાનો છે. સાંસદો ગાંધીજીના વિચારો જનતા સમક્ષ રજૂ કરશે. વૃક્ષા રોપણ, સ્વચ્છતા અને ગામડાં સંબંધી અન્ય પ્રશ્ર્નોને પણ પદયાત્રા દરમિયાન આવરી લેવાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now