આધાર સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડ
આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.
૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.
ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now