Finally : નિર્ભયાના બળાત્કારીઓને ૨૦ માર્ચે ફાંસી
નવી દિલ્હીની એક અદાલતે નિર્ભયા પર સામૂહિક બળાત્કારના ચારેય આરોપીઓને ૨૦ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ફાંસી આપવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉ, ચારેય બળાત્કારીની ફાંસી ત્રણ વખત મુલતવી રખાઇ હતી. રાષ્ટ્રપતિએ તેઓની દયાની અરજીઓ નકારી કાઢી હતી.
ઍડિશનલ સૅશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ બળાત્કારીઓ – મુકેશકુમાર સિંહ (૩૨ વર્ષ), પવન ગુપ્તા (પચીસ વર્ષ), વિનય શર્મા (૨૬ વર્ષ) અને અક્ષયકુમાર સિંહ (૩૧ વર્ષ)ને ૨૦મી માર્ચે સવારે ૫.૩૦ વાગ્યે ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. અહીંની તિહાડ જેલમાં ચારેય બળાત્કારીને સાથે ફાંસી અપાશે.
અગાઉ, દિલ્હી સરકારના વકીલોએ બળાત્કારીઓના બચાવના બધા માર્ગ બંધ થયા હોવાની માહિતી અદાલતને આપી હતી.
નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે દોષીઓને ૨૦મી માર્ચે સવારે ફાંસી આપી દેવાશે. નિર્ભયા જેવા બળાત્કાર ભવિષ્યમાં ક્યારેય બનવા ન જોઇએ. સામૂહિક બળાત્કારના ચારેય દોષીની ફાંસી છ અઠવાડિયાંમાં ત્રણ વખત મુલતવી રહી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી અદાલતમાં રજૂઆત કરનારા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુનેગારો ફાંસીથી બચવા માટેના દરેક માર્ગ અપનાવી ચૂક્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now