India : ખાનગી ટ્રેનોની મહત્તમ ઝડપ ૧૬૦ કિમી રહેશે
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (‘નિતિ’ આયોગ)એ તૈયાર કરેલી દરખાસ્તના મુસદ્દા મુજબ ખાનગી ટ્રેનો રેલમાર્ગો પર દોડતી અન્ય ટ્રેનોની સરખામણીમાં ૧૫ મિનિટ વહેલી દોડશે, તેની મહત્તમ ઝડપ કલાક દીઠ ૧૬૦ કિલોમીટર રહેશે અને તેમાં ખાનગી કંપનીના ગાર્ડ્સ અને કર્મચારીઓ રહેશે.
આ ઉપરાંત, ખાનગી ટ્રેનના ડબા આધુનિક હશે અને સુરક્ષાની વધુ સારી સુવિધા રહેશે.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાને પોતાની વૅબસાઇટ પર ખાનગી ૧૫૦ ટ્રેન ૧૦થી ૧૨ વિભાગમાં ૧૦૦ રેલમાર્ગ પર દોડાવવાની યોજના જાહેર કરી છે. આ ખાનગીકરણ પાછળ અંદાજે રૂપિયા ૨૨,૫૦૦ કરોડનું રોકાણ કરાશે.
ખાનગી ટ્રેનો દોડાવનારાઓ બજારના ભાવ પર આધારિત ભાડાં લઇ શકશે, તેઓને વિવિધ વર્ગ અને ટ્રેનના સ્ટૉપ નક્કી કરવાની છૂટ રહેશે.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના સંબંધિત મુસદ્દામાં ખાનગી ટ્રેનોના સંચાલકો માટે રિક્વૅસ્ટ ફૉર ક્વૉલિફિકેશન, ક્ધસૅશન ઍગ્રીમૅન્ટ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ, પ્રૉજેક્ટ ઇન્ફૉર્મેશન મેમૉરેન્ડમ સહિતની રૂપરેખા રજૂ કરાઇ છે.
રેલવે ખાનગી ટ્રેનોના સંચાલકોને પોતાના હાલના ડેપૉ કે વૉશિંગ લાઇન્સમાં કે તેની બાજુમાં જગ્યા પૂરી પાડશે.
ખાનગી ટ્રેનોના સંચાલકો પોતાની પસંદગીના સ્રોત ખાતેથી એન્જિન્સ કે ડબા ખરીદી શકશે.
આ ઉપરાંત, ખાનગી ટ્રેનોના ડબાની ડિઝાઇન આધુનિક હશે અને સલામતી માટે સુધારિત સગવડ હશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now