વણજોઇતું નવરાત્રી વેકેશન આખરે સરકારે રદ કરવું પડ્યું
ગુજરાતના શિક્ષણ જગત માટે વણજોઇતા નવરાત્રી વેકેશનને આખરે રાજ્ય સરકારે 2019-20ના શૈક્ષણિક સત્રથી રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં રાજ્ય સરકારે ફરજિયાત સ્કુલો બંધ કરીને નવરાત્રી વેકેશન માણવાનો ફતવો બહાર પાડ્યો હતો અને સ્કુલોએ વેકેશન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ખોટો દાખલો સરકારે બેસાડ્યો હતો અને હવે એ સરકારે ફરીથી સાચો દાખલો ગણવાની ફરજ પડી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં શુક્રવારે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં અન્ય એક નિર્ણયમાં હવેથી ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતા. ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું, પરંતુ હવે નહીં મળે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now