આખી નવી મુંબઈ એનસીપી ભાજપમાં!
એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now