સરદાર સરોવર ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી
સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.
ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.
બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.
સરદાર સરોવર ડેમમાં અત્યારે 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now