મહારાષ્ટ્રમાં ઉધ્ધવની સરકાર, પુત્ર-પુત્રી, ભત્રીજો-ભત્રીજીઓ મંત્રીઓ બન્યા
હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.
આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા.
મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now