CIA ALERT
19. April 2024
February 20, 20201min7730

આ વખતની મહાશિવરાત્રી સાથેના સંયોગ વિશિષ્ટ કેમ ? વાંચો અહીં

Share On :
Print Friendly, PDF & Email

વર્ષ 2020 ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનએ દેવોના દેવ મહાદેવની આરાધનાનો તહેવાર મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વખતે 59 વર્ષ બાદ મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આ દિવસે શનિ અને ચંદ્ર મકર રાશિ, ગુરુ ધન રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે, આ યોગ સાધના, સિદ્ધિ માટે ખાસ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ વિધાન છે. જે પણ વ્યક્તિ ભગવાન શિવની શ્રદ્ઘાની સાથે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી પૂજા-અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે

જ્યોતિષ મુજબ આમ તો દર મહીનામાં શિવરાત્રી હોય છે. પરંતુ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1961માં બન્યો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાનને રૂદ્રભિષેક કર કરવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસ શિવજી ને વૈરાગ્ય જીવન છોડો ગૃહસ્થ જીવન માં પ્રવેશ કર્યો. શિવ વૈરાગી હતા, તે ગૃહસ્થ બની ગયા. પૌરાણિક કથાઓ મુજબ, મહાશિવરાત્રીના દિવસોમાં શિવજી પહેલી વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાગટ્ય જ્યોર્તિલિંગ એટલે અગ્નિના શિવલિંગના રૂપમાં હતું.

શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિર જઇ શિવલિંગ પર મધ, પાણી અને દૂધનું મિશ્રણથી ભગવાન શિવને સ્નાન કરાવવું જોઇએ. તે બાદ બિલીપત્ર,ધતુરો, ફળ અને ફુલ અર્પણ કરવા જોઇએ. તે બાદ ધૂપ અને દીવો કરી ભગવાન શિવની આરતી કરવી જોઇએ।

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્‍વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે

શિવ મહાપુરાણમાં છ દ્રવ્યો, દૂધ, દહીં, મધ, ઘી, ગોળ અને પાણીથી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાનો ઉલ્લેખ છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જો તમારી આસપાસ કોઇ શિવ મંદિર નથી તો ઘરમાં માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી જોઇએ.

21 ફેબ્રુઆરીએ સાંજે 5.20 વાગ્યાથી 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે 2 મિનિટ સુધી રહેશે. વૈષ્ણવ સંપ્રદાય ઉદયા તિથિ એટલે જે સૂર્યોદયના સમયે તિથિ હોય તેને માને છે. જેથી આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.

દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક છે. દૈત્‍ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્‍વામી અને ભકતોના ઉપકારક છે

જન્‍મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્‍યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્‍મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :