CIA ALERT
25. April 2024
February 16, 20202min3030

Related Articles



દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા

Share On :
Print Friendly, PDF & Email

 આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાંત, મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ લીધા. 

  • સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં કેજરીવાલ બોલ્યા, તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી પાસે આવજો.
  • કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને આગળ વધારીશું.
  • તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
  • તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું બધાનો મુખ્યમંત્રી છું. આપ, બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
  • કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
  • આપ પક્ષે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
  • રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં આપ સમર્થકો પહોંચ્યા છે.
  • કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
  • અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
  • કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
  • શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે

દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.

કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :