૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે કેજરીવાલ
નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)એ ત્રીજીવાર સત્તા મેળવી છે. ૭૦ બેઠકમાંથી ૬૨ બેઠક આપે જીતી હતી. આપના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બુધવારે પક્ષના નેતા પદે અરવિંદ કેજરીવાલને ચૂંટી કાઢ્યા હતા.
કેજરીવાલ બુધવારે દિલ્હીના લેફ. ગવર્નર અનિલ બૈજલને રાજનિવાસમાં મળ્યા હતા. શપથવિધિના કાર્યક્રમ વિશે તેમની સાથે ચર્ચા થઈ હતી.
નવી સરકારની પ્રક્રિયા માટે કેજરીવાલે રાજીનામું આપીને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિનો માર્ગ મોકળો કરવો પડે છે.
આપના સિનિયર નેતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે, જે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કેબિનેટના પ્રધાનોની સોંગધવિધિ પણ એજ દિવસે થશે.
આપના વિધાનસભ્ય નરેશ ગોયલના કાફલા પર ગોળીબાર થયાના બનાવ બાબતે મનિષ સિસોદિયાએ ચિંતા દર્શાવી હતી. દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓએ પગલાં લેવા જોઈએ, એમ કહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now