કૈલાશ-માન સરોવર યાત્રાની પૂર્ણાહુતિ
ઉત્તરાખંડના લિપુલેખ પાસ ખાતેથી કરવામાં આવતી કૈલાશ-માન સરોવર યાત્રા રવિવારે પૂરી થઇ હતી. છેલ્લા બેચના ૪૧ સભ્ય તિબેટથી સવારે ૭.૩૦ કલાકે ભારતીય ભૂમિ પર પાછા ફર્યા હતા, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. ૪૧ શ્રદ્ધાળુનો અઢારમો અને છેલ્લો બેચ તિબેટથી બુંદી ખાતે રવિવારે સવારે પાછો ફર્યો હતો. તેઓ નિગમના બુંદી કેમ્પમાં રહેશે અને પિથોરગઢ થઇ દિલ્હી પહોંચશે, એવી કુમાઉન મંડલ વિકાસ નિગમ (કેએમવીએન)ના પિથોરગઢ કેમ્પના ઇનચાર્જ દિનેશ ગુરનાનીએ જણાવ્યું હતું. આ વર્ષે કુલ ૯૪૯ લોકોએ લિપુલેખ પાસ ખાતેથી કૈલાશ-માન સરોવરની યાત્રા કરી હતી, જેમાંથી ૭૨૭ પુરુષ અને ૧૯૮ મહિલા હતી. ૨૩ લોકો વિવિધ કારણોસર અડધે રસ્તેથી જ ભારત પરત ફર્યા હતા. ૨૬માં બેચના એક શ્રદ્ધાળુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું, એમ ગુરનાનીએ જણાવ્યું હતું.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૈલાશ-માન સરોવરની યાત્રા વધુ સફળ રહી હતી. નવી દિલ્હીથી આઠ જૂનના રોજ આ યાત્રાની શરૂઆત થઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now