જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944