કાશ્મીરમાં ભાજપ નેતાની હત્યા બાબતે ગવર્નરે તપાસનો આદેશ આપ્યો
જમ્મુ – કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે ભાજપ નેતા ગુલ મોહમ્મદ મીરની હત્યાને વખોડી કાઢીને આ બાબતમાં તપાસનો આદેશ આપ્યો હતો. રાજકીય પક્ષોના નેતાની સુરક્ષામાં કોઈપણ ક્ષતિ હોય તો તે શોધી કાઢવા તેમણે રાજયના ચીફ સેક્રેટરી બી. વી. સુબ્રમણ્યમને જણાવ્યું છે.
ભાજપ નેતાની હત્યા અંગે તેમણે શોકની લાગણી દર્શાવી હતી. પરિવારને હિંમત આપી હતી. રાજયના તમામ રાજકીય નેતાઓ, સરપંચની સુરક્ષા વિશે સમીક્ષા કરવા ગવર્નરે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. તેમના સલાહકાર કે. વિજયકુમાર સાથે વાતચીત કરી હતી. હત્યા માટે જવાબદારની ધરપકડ કરવા તેમણે કહ્યું હતું. જનતામાં ગભરાટ અને ભય ઊભો કરતા કોઈને પણ છોડવામાં આવશે નહીં. તમામ નેતાઓની કોઈપણ ભોગે સુરક્ષાના પગલાં લેવાશે.
છેલ્લા બે માસમાં આવા ચાર બનાવ બન્યા છે. થોડા દિવસ અગાઉ આરએસએસના સિનિયર નેતા અને તેમના સુરક્ષા અધિકારીની હત્યા કરી હતી. નેશનલ કોન્ફરન્સના કાર્યકરની પણ હત્યા થઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now