CIA ALERT
29. March 2024
July 3, 20191min2930

જગન્નાથ મંદિર ખાતે ભંડારો: ૨૦૦૦થી વધુ સંતોએ પ્રસાદનો લ્હાવો લીધો

Share On :
Print Friendly, PDF & Email

શહેરમાં આગામી તા.૪થી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોસાળમાંથી એટલે કે, મામાના ઘરેથી ભગવાન જગન્નાથ આજે મંદિરે પરત ફર્યા હતા.

મંદિરે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનને આંખો આવી હોવાથી તેઓને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરે વિશેષ પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન પૂનમથી અમાસ એટલે કે ૧૫ દિવસ મામાના ઘેર રોકાયા બાદ આજે મંગળવારની વહેલી સવારે ભગવાન જમાલપુર ખાતેના નિજ મંદિરે વાજતે ગાજતે પરત ફર્યા હતા. સરસપુરમાં મામાના ઘેર ખૂબ કેરી આરોગી હોવાથી ભગવાનને આંખો આવી હોવાથી ભગવાનને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરમાં સાધુ સંતોનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો.

જેમાં ૨૦૦૦થી વધુ સાધુ-સંતોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. મંદિર તરફથી સાધુ-સંતોને પ્રસાદ સાથે દક્ષિણા અને ભેટ આપવા આવી હતી. આજના દિવસે વિશેષ ભંડારો કાળી રોટી એટલે કે માલપુવા અને સફેદ દાળ એટલે કે દૂધ પાક આપવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી આ પ્રસાદનો લ્હાવો લેવા માટે મંદિરે આવે છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ, મેયર બીજલ પટેલે તેમજ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓએ પણ ભગવાનના દર્શન કરી શહેરની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :