IPL 29 માર્ચને બદલે 15 એપ્રિલથી શરૂ થશે
ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.
હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now