CIA ALERT
26. April 2024
January 9, 20201min3140

સોમનાથ મંદિરના દર્શનાર્થીઓને વીમા કવચ

Share On :
Print Friendly, PDF & Email

જ્યોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા યાત્રિકો માટે વીમો લેવામાં આવ્યો છે. સોમનાથમાં કોઇ અઘટિત બનાવ વખતે કોઇ યાત્રાળુનું મોત થાય તો તેના વારસોને વળતર મળી શકે જેથી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.

બાર જ્યોતિર્લીંગ પૈકી પ્રથમ જ્યોતિર્લીંગ સોમાથ મહાદેવનાં દર્શનાર્થે દેશ-િવદેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો સોમનાથ આવતા હોય છે ત્યારે સુરક્ષા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.

પ્રિમિયમ અંતર્ગત સોમનાથ મંદિર સંકુલ, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો, કાર્તિકી પૂર્ણિમાના મેળા, ટ્રસ્ટ હેઠળના તમામ મંદિરોને આવરી લેવાયા છે. એક વખતમાં કંપની વધુમાં વધુ રૂ. 12.5 કરોડ અને આ પ્રકારના સંજોગોમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. 25 કરોડનું વળતર ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :