01/01/2020 થી રેલવેના ભાડામાં વધારો
રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.
શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.
દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.
રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.
આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.
રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.
રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now