IMA Gujarat ના પ્રમુખ પદે સૂરતના ડો. ચંદ્રેશ જરદોશ શનિવારે ચાર્જ લેશે
ઇન્ડિયન મેડીકલ એસો. ગુજરાત 110 બ્રાન્ચ અને 29 હજારથી વધુ તબીબો ધરાવતું સંગઠન
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં 115 બ્રાન્ચ અને 29000થી વધુ તબીબોનું સંખ્યાબળ ધરાવતા ડોક્ટર્સના એસોસીએશન, એટલે કે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચનું પ્રમુખ પદ આ વખતે સૂરત ઝોનના ફાળે આવ્યું હતું અને સૂરતના તબીબોએ સર્વસંમતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશને લીલીઝંડી આપતા આગામી તા.12મી ઓક્ટોબર 2019ના રોજ દમણની ડેલ્ટીન હોટેલ ખાતે આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ પદે સૂરતના તબીબ ડો. ચંદ્રેશ જરદોશની સત્તાવાર વરણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
ઓર્ગન ડોનેશન અને આઇડિયલ મધર કન્ટેસ્ટ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે આઇ.એમ.એ. ગુજરાતના નવા ચેરમેન
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે તેઓ તબીબોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સતત પ્રયાસો કરશે સાથે આઇ.એમ.એ. જેવી મહત્વની સંસ્થાના નેતૃત્વ દરમિયાન ઓર્ગન ડોનેશન તેમજ આઇડીયલ મધર કન્ટેસ્ટ જેવી ઇવેન્ટ નિયમિત રીતે યોજશે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનને સમગ્ર ગુજરાતમાં 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. દર વર્ષે કોઇ એક ઝોનમાંથી પ્રેસિડેન્ટની નિમણૂંક થાય તેવો ધારો અમલમાં છે. આ વખતે દક્ષિણ ઝોનનો વારો હતો. સૂરતમાં અનેક તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ માટે દાવેદાર હતા. પરંતુ, તબીબોએ અંદરોઅંદર સમજૂતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશનું નામ ફાઇનલ કર્યું હોવાની વિગતો જાણવા મળી હતી.
સૂરતના 3 તબીબો આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે
અગાઉ સૂરતના ત્રણ તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેમાં ડો.આર.કે. દેસાઇ, ડો. વિનોદ શાહ અને ડો.પ્રજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.
તબીબી જગતને સ્પર્શતા હકારાત્મક સમાચારો, ઇવેન્ટસ, ક્રિટીકલ ઓપરેશન્સ વગેરેની માહિતી અમને મોકલી શકો છો Email: [email protected]
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now